પ્રેમરંગ । ભારતીય મોનાલીસા " બણીઠણીં" ।દરબારશ્રી પૂંજા વાળા । Prem Rang ...



પ્રખ્યાત લોકવાર્તાકાર આદરણીય દરબાર શ્રી પૂંજા વાળાએ એક અદભુત પ્રેમકથા આલેખી છે.
રાજસ્થાની ચિત્રકલા શૈલી માં આપ સહુએ " બણીઠણીં "નું આ ચિત્ર સહુએ જોયુંજ હશે અને બહુ ઓછા લોકોને તેનું નામ અને તેની પાછળનો ઇતિહાસ ખબર હશે.જી હા આ ચિત્ર રાજસ્થાનના કિશનગઢ ના મહારાજા સાવંતસિંહ (ઈ.સ.1748-1757) નું બનાવેલું છે, જેને " ભારતીય મોનાલીસા" નું બિરુદ મળેલ છે.સ્વરૂપવાન શાસ્ત્રીય ગાયિકા " બણીઠણીં "નું આ ચિત્ર વિશ્વભર માં પ્રસિદ્ધ છે અને ભારત સરકારે તેને ટપાલ ટિકિટ માં પણ સ્થાન આપ્યું છે." બણીઠણીં " અને મહારાજા સાવંતસિંહ નો દિવ્ય પ્રેમ અનેક પ્રચલિત છંદો અને કાવ્ય અને કાવ્યશાસ્ત્રો ને જન્મ આપતો ગયો.રસચંદ્રિકા,બિહરિચંદ્રિકા ,ઉત્સવમાલા,પદમુક્તાવલી,રસિક રત્નાવલી સહીત 50 જેટલા ગ્રંથ મહારાજા સાવંતસિંહે "નાગરીદાસ" ના ઉપનામ થી લખ્યા.શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ ને કારણે તેમની છંદ શૈલી ઉત્તરભારત , વ્રજ,ભોજપુરી ભાષા પદ્ધતિને વધુ મળતી આવી હોવાથી વૈષ્ણવ સંપ્રદાયમાં પણ ખુબજ પ્રસિદ્ધિ પામ્યા.આવા અદભુત અને વિશ્વિખ્યાત વિભૂતી સમાન મહારાજા સાવંતસિંહ વિષે આવો જોઈએ અને જાણીએ " પ્રેમરંગ "

સૌરાષ્ટની રસધાર । ઘોડી ને ઘોડેસવાર । દરબાર શ્રી પૂંજા વાળા । ઝવેરચંદ મેઘ...





સાણથલી દરબારશ્રી પુંજાવાળા સાહેબ ની વાર્તા કથન શૈલી લોક વિખ્યાત છે.સાહિત્ય પ્રેમીઓ ભાગ્યેજ એમનાથી અજાણ હશે.94 વર્ષની જૈફ વયે પણ એટલીજ સ્ફૂર્તિથી પ્રવૃત્તિશીલ રહેતા આદરણીય દરબાર શ્રી પૂંજા વાળા બહુ લાંબા સમય બાદ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ થી ઉપસ્થિત થયા છે.નિર્માતા શ્રી વિજય વાળા અને શ્રી ઘનશ્યામ વાળા ના સહયોગ થી આપણે અતિ દુર્લભ એવી સાહિત્ય ગોષ્ઠી ની ક્ષણો અહીંયા માણીશું ,

આવો અત્રે પ્રસ્તુત છે પ્રકાશન અધિકાર થી મુક્ત એવી શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત " સૌરાષ્ટ્ર ની રસધાર " માંથી માણકી ઘોડી ની કુરબાનીની કથા એટલે " ઘોડી ને ઘોડેસવાર"

ભજન | કરમન કી ગતિ ન્યારી | નારાયણસ્વામી | KARMAN KI GATI NYARI | NARAYAN...



ऊधौ, कर्मन की गति न्यारी।

सब नदियाँ जल भरि-भरि रहियाँ सागर केहि बिध खारी॥

उज्ज्वल पंख दिये बगुला को कोयल केहि गुन कारी॥

सुन्दर नयन मृगा को दीन्हे बन-बन फिरत उजारी॥

मूरख-मूरख राजे कीन्हे पंडित फिरत भिखारी॥

सूर श्याम मिलने की आसा छिन-छिन बीतत भारी॥

ભજન | મનકો કરદે મુસલમાન | નારાયણસ્વામી | MAN KO KARDE MUSALMAN | NARAYAN...







દાસ સતાર-સતાર
શાહ બાપુ નું ભજન

મન કો કરદે
મુસલમાન , અબ તો યહી શિખામણ માન

રોજા રખલે , નમાજ
પઢ લે, સાચી રાહ પહેચાન
ઇસ દુનિયા કે
અંદર તું તો ,
એક દિન નિકાલ
જાયેગી જાન .... મન કો કરદે

પૈસા હો તો હજ તું
કરલે , જકાત પર રાખ ધ્યાન
ચેત ચેત ,
ચેતાવું તુજકો , કયું ભૂલા હૈ ભાન
આખિર મોત નિદાન ....
મન કો કરદે

દયા ધર્મ કો મૂલ
હૈ ભાઈ,પાપ મૂલ અભિમાન
મૈ મૈ કર મત, ભૂલ
હૈ બંદે ,ખોલ જરા તો કાન
હર કા હરદમ ધરલે
ધ્યાન .... મન કો કરદે

એબ પરાયી ક્યાં
દેખે તું , જાત તેરી પહેચાન
કૌન મુંડ સે બની
યે કાયા , કયું હુઆ અનજાન
ભાઈ મત કર માન
ગુમાન .... મન કો કરદે

પરાઈ નિંદા કરનેસે
ભાઈ , બિગડ જાએગા ઈમાન
કામ ક્રોધ મદ લોભ
મોહ મેં,આન પડે શૈતાન
ફિર તું નહિ રહે
ઇન્સાન .... મન કો કરદે

મુરીદ બનજા પીરકા
પહેલે , શબદ પીરકા માન
ફિર સદગુરુ કે
ચરણ મેં જાવે ,તબ તો આવે જ્ઞાન
ઈશ્ક કા અજબ બના
મૈદાન .... મન કો કરદે

પરનારી સે પ્રીતિ
મત કર , યહી નર્ક કી ખાન
“ દાસ સતાર “ કહે
કર જોડી , સાચે સબ ફરમાન
ભાઈ મત બન તું
હેવાન .... મન કો કરદે









ભજન | શીલવંત સાધુને | નારાયણસ્વામી | ગંગાસતી | SHILVANT SADHU | NARAYANS...

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો;

રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..




સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;

સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…




વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;

અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….




પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;

પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….




સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;

ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને…

સિંહાસન | દાદાજીની વાતો - ઝવેરચંદ મેઘાણી | SINHASAN | ZAVERCHAND MEGHANI...









ધારા નગરીને માથે પરદુ:ખભંજન રાજા ભોજનાં રાજ ચાલે છે. ભેરવોનાં માથાં ભાંગે એવો ચોગરદમ ફરતો ગઢ છે. ચાર દીશાએ ચાર દરવાજા : ચોરાશી બજાર : ચોપન ચૌટાં : લખપતીઓની હવેલીઓનાં ઈંડાં આભમાં અડે છે. ચારે પહોર ચોઘડીયાં વાગે છે. સાંજરે મશાલો થાય છે. અને ઉજેણીમાં તો કોઈ દુ:ખીયું જડે.
એક સમે રાજા ભોજે આજ્ઞા કરી કે "બધસાગરા, આપણે અલક મલક તો જોયો, પણ હવે મારે ઓતરાખંડ જોવો છે."
"ખમા ઉજેણીના ધણીને જેવી મહારાજની મરજી!" એટલું બોલીને બધસાગરે બે પાણીપંથા ઘોડાને માથે પીતળિયાં પલાણ માંડ્યાં. હથીયાર પડીયાર બાંધીને રાજા-પ્રધાન હાલી નીકળ્યા. હાલતાં હાલતાં ઉજેણીના સીમાડા વળોટવા જાય છે ત્યાં આઘેથી એક કઠિયારે સાદ દીધો કે " ભાઈ, મારે માથે ભારો ચડાવશો?"
"બધસાગરા! કોઈક દુખીયારો ડોસો : માથે ભારો ચડી શકતો નથી. હાલો એને મદદ કરીએ."
એમ બોલી રાજા પાસે ગયા. જુએ ત્યાં છાંટો લોહી ગોત્યું જડે એવો બ્રાહ્મણ : અસલ હાડપીંજર જોઈ લ્યો! મોઢે માખીઓ બણબણે છે. નાકે લીંટ જાય છે. ખભે વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે. એવા બ્રાહ્મણને જોઈને રાજા બોલ્યા :
"અરે હે ગોર દેવતા! આવી દશા?"
"ખમા બાણું લાખ માળવાના ધણી! છું તો બ્રાહ્મણ, પણ તારી ઉજેણીમાં




નવાનગરને નમો! નમો!

શેરીએ શેરીએ ભમો ભમો!

કોઈ કે'નૈ કે જમો જમો!
- એવા હાલ છે. ઘરની ગોરાણી ગાળ્યું ઈને ભળકડે તાંબડી પકડાવી લોટે ધકેલતી. દીવા ટાણે પાછો વળતો. પણ ઘરે કળશી એક છોકરાં કીયાંવીયાં કરતાં મને પીંખી નાખતાં : બે રોટલાનોયે લોટ નહોતો થતો."
"અરે ધિક્કાર! ધિક્કાર! ધિક્કાર! બ્રાહ્મણનો દીકરો : ખભે જનોઈ પડી છે, તોયે લાકડાં વાઢવાં પડે! બીચારો વેદ-ભાગવત ક્યારે વાંચે? સંધ્યા-પૂજા ક્યારે કરે? લ્યો મહારાજ! સવા લાખ રૂપિયાની ચીઠ્ઠી. અમારે ખજાનેથી આવજો; કહો સ્વસ્તિ."
"સ્વસમ્! હે રાજા, સ્વસમ્!"
"મહારાજ, અરધી સ્વસ્તી કાં કહી?"
"હે રાજા, સવા લાખ રૂપિયા તો કોઈક અડબોત મારીને આચંકી જાશે. તે ટાણે તમને ક્યાં ગોતવા આવું? જમીનનો એક કટકો આપો તો મજૂરી કરીને ગદર્યે જાશું."
ત્યાં એક વાડી હતી. ત્રાંબાનું પતરું મંગાવી ત્યાં ને ત્યાં પેઢી દર પેઢીના દસ્તાવેજ લખી આપ્યા. પાળે તેને માથે ચાર હત્યા લખી. બ્રાહ્મણનાં દળદર દરીયાને સામે કાંઠે નાખી દીધાં. કડડડ! ધૂબ! ભારો ભોંય પર નાખીને 'સ્વસ્તિ! હે રાજા, સાત સાત સ્વસ્તિ!" કહેતો બ્રાહ્મણ ચાલ્યો ગયો.
ડણણણ.... કરતાં ઘોડાં હાંકતા રાજા અને બધસાગરો હાલી નીકળ્યા. મુલક પછી મુલક જોવા મંડ્યા. જ્યાં હાથીને ગળી જાય એવાં મોટાં ગરજાં થાય છે : જ્યાં સૂરજ સામી હાંડલી ધરતાં ફસ ફસ કરતાં ધાન ચડી જાય છે : જ્યાં માનવીની કાયા ઉપર રીંછડાંના જેવા વાળ ઊગે છે : જ્યાં નર અને નારી બેયનાં શરીર જોડેલાં અવતરે છે : જ્યાં ઢોલને ઢમકે પાણી નીકળે છે : એવી એવી ભાતભાતની ભોમકામાં દેશાટન કરીને બરાબર વરસ દિવસે રાજા ને પ્રધાન પાછા ઘર દીમના વહેતા થયા.
ચોમાસું ઊતરીને આસો મહીનો બેઠો છે. કેડાને કાંઠે એક ખેતર ઊભું છે. માંહી અસવાર સોતાં ઘોડાં પણ ગેબ જાય એવા લીલુડા મોલ ઝોલે ચડ્યા છે, અને ઊભા ડૂંડાં ફાકી જાય એવો બાજરો લચકી પડ્યો છે. ખેતરની વચાળે મેડો છે અને મેડા ઉપર એક આદમી ઊભો ઊભો હાથમાં ગોફણ ઈને 'હો! હો!' કરતો વૈયાં ઉડાડે છે. જોઈને રાજાએ પૂછ્યું: "અરે હે બધસાગરા, આવું ખેતર કોનું? પોર તો આંહીં બોરડીનાં ઝાળાં ઊભાં'તાં ને!"
"મહારાજ! ખેતર તો ઓલ્યા બામણને કૃષ્ણાર્પણ કર્યું હતું તે."
ત્યાં તો 'ઊભા રહેજો! મહારાજ! ઊભા રહેજો! જાય એને બ્રહ્મહત્યા! ગૌહત્યા! ચાર હત્યા!' એવા સાદ પાડીને મેડે ઊભેલો માટી બોલાવવા મંડ્યો. ઈને જુએ ત્યાં તો વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે, ધડાકામાન તુંબડું કાખમાં રહી ગયું છે, હાથમાં જતરડો છે, અને હો! હો! કરીને વૈયાં હોકારતો બામણ ઊભો છે. દોડીને બામણ બોલ્યો કે "હે મહારાજ,પાંચ ડૂંડાં પોંકનાં લેતા જાવ."
રાજા કહે: "ગોર! અમારે તો દીધાં દાન રુધીર જેવાં."
"તો હું કપાળી કરું. માથું ફોડું."
બધસાગરો કહે: "મહારાજ, આપણે સપાઈ સપરાને આપી દેશું. પણ બામણનું વેણ રાખો."
મેડેથી ઊતરીને બામણ ખેતરમાં જાય છે. એક હાથમાં દાતરડું રાખીને બીજે હાથે એક ડૂંડું ઝાલી માથું હલાવે છે. મનમાં વીચાર કરે છે કે 'ઓહોહોહો! ડૂંડું તો સારા ખેતરનું સરદાર! આના ઉપર દાતરડું શે હાલે!'
બીજું ડૂંડું હાથમાં લીધું. માથું હલાવી મનમાં બોલ્યો: 'ઓહોહોહો! તો ઓલ્યા ડૂંડાનું ભાઈ! વાઢતાં જીવ શે હાલે!'
રાજા પાસે આવીને બામણે માથું ખંજવાળતાં ખંજવાળતાં કહ્યું : "મહારાજ! આણીકોર લોંઠિયાં લાણી ગ્યાં, ઢોર ખાઇ ગ્યાં, બગલાં ચણી ગ્યાં! તમને અલાય એવું એકેય એવું એકેય ડૂંડું હાથ આવતું નથી."
મોઢું મલકાવીને રાજા પ્રધાન ચાલતા થયા. વળી પાછો બામણ મેડે ચડ્યો. અને મેડે ચડતાં વાર એણે હાકલા માંડ્યા કે 'પાછા વળો મહારાજ! પાછા વળો, ચાર હત્યા છે તમને. પોંક લેતા જાઓ.'
વળી પાછા રાજા બામણની પાસે આવ્યા એટલે બામણ કહે: "મહારાજ ઊભા રો.' આથમણી દશ્યે ડૂંડાં ઊભા છે એમાંથી વાઢી ઉં."
એમ કહીને બામણે દાતરડું ઝાલ્યું. આથમણી બાજુએ ડૂંડાં વાઢવા ઊતર્યો. એક પછી એક ડૂંડું હલાવીને નિસાસો નાખ્યો કે,'ઓહોહો! તો સારા ખેતરનું સરદાર ડૂંડું! વળી એનું ભાઈ! શે વઢાય?'
આવીને વળી પાછો ગરીબડો બોલવા મંડ્યો: "મહારાજ! પડખેય લોંઠિયાં લણી ગ્યાં, ઢોર ચરી ગ્યાં, તમને અલાય એવું એકેય ડૂંડું મળે, બાપજી!"
મોં મલકાવીને રાજા ભોજ હાલી નીકળ્યા, ત્યાં તો મેડે ચડીને બામણ બૂમ પાડે છે કે "પાછા વળો, લેતા જાઓ, ચાર હત્યાનાં પાપ!"
રાજા પૂછે કે "અરે બધસાગરા! તે શી સમસ્યા! બામણ મેડે ચડે છે ત્યાં સમદરપેટો બની જાય છે અને હેઠે ઊતરે છે ત્યાં જીવ વાઘરીવાડે વહ્યો જાય છે : વાતનો કાંઈ મરમ જાણ્યો?"
"મહારાજ! તો જગ્યા-બદલો!" હસીને બધસાગરે જવાબ વાળ્યો.
" એટલે શું?"
હે રાજાજી, તો જગ્યા જગ્યાના પ્રભાવ સમજવા. જે ઠેકાણે બામણનો મેડો ઊભો છે, તે ઠેકાણે ધરતીમાં નક્કી માયા દાટેલી પડી હશે. અને કાં કોઈ મહાદાનેશ્વરી રાજાનું થાનક હશે, એટલે મેડે ચડતાં બામણનું મન મોટા રાજેશ્વર જેવું બની જાય છે, પણ નીચે ઊતરે છે ત્યાં પાછો બામણનો બામણ થાય છે."
"અને તમારું ભાખ્યું ખોટું પડે તો?"
"તો તમારી તરવાર ને મારું ડોકું."
બામણના મેડા તળેની ધરતી રાજા ભોજે ખોદાવી. ખોદે, ત્યાં તો ઠણીંગ કરતો કોદાળીનો ઘા રણકારો કરી ઊઠ્યો. બીજે ઘાએ ત્રીકમનું પાનું કોઈક કડામાં પરોવાઈ ગયું હોય એમ લાગ્યું. ચોગરદમથી ખોદે ત્યાં તો એક-બે-ત્રણ-ચાર એમ સાત ચરુ માયાના નીકળ્યા. અને તેની નીચે ખોદે ત્યાં તો ......બરું એક સિંહાસન!
સાતેય ચરુની માયા રાજા ભોજે ગરીબગુરબાંને વહેંચી દીધી, ઢોરને રોટલા નીર્યા, અને સિંહાસનને સાફસૂફ કરાવી પોતાના દરબારમાં મેલાવ્યું ત્યાં તો ઝળળળ તેજનાં પ્રતીબિંબ પડી ગયાં. ચારે ભીંતો ઉપર હીરા- માણેક-મોતીના રંગ ચીતરાઈ ગયા. સીહાસનફરતી બત્રીસ પૂતળીઓ ઝગમગી ઊઠી.
"આવા દેવતાઈ સીહાસનઉપર તો અમે બેસશું." એમ કહીને જે ઘડીએ રાજા ભોજે સિંહાસનના પે'લા પગથીયા ઉપર પોતાનો પગ મેલ્યો તે ઘડીએ 'મા! હે રાજા ભોજ! મા!' એવા ગેબી અવાજો સંભળાણા અને ઝણણણ એવા ઝણકારા કરતી બત્રીસેય પૂતળીઓએ પોતાના રૂમઝૂમતા હાથ ઊંચા કર્યાં.
'અરે! સીહાસનને અમે ખોદીને બહાર કાઢ્યાં. સાફસૂફ કર્યાં, શણગાર્યા, અને આજ માંહીથી માકારા કોણ કરે છે.'
ઝણણણ કરતી બત્રીસેય પૂતળીઓ નાચવા મંડી. બત્રીસેયના હોઠ ખડ! ખડ! ખડ! હસી પડ્યા.
"હે પૂતળીઓ, તમે કોણ છો? કેમ હસો છો? બધો શો ભેદ છે? બોલો," ઝબકીને રાજા ભોજ સીહાસનસામો થંભી ગયો, એટલે વખતે -
પહેલી પૂતળી બે હાથ જોડીને ઊભી રહી. એને વાચા આવી. માનવીની વાણી કાઢીને એણે જવાબ દીધો: "હે રાજા ભોજ! અમે બત્રીસેય જણી તારા વડવા રાજા વીર વીક્રમની રાણીઓ હતી. સીહાસનઅમારા સ્વામીનાથનું છે. માટે હે બાપ! જો વીક્રમનાં જેવાં કામ કર્યાં હોય તો બેસજે; નીકર તું તપીશ નહી."
"હે માતા! વીક્રમ રાજાનાં કામાં કેવાં હતાં! હું તો જાણતો નથી."
"સાંભળ બાપ! વીક્રમે તો વીધાતાના લેખમાંયે મેખ મારી હતી." એમ કહીને પહેલી પૂતળીએ વાર્તા માંડી.